રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનો કેસ કરવાનો હુંકાર
રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનો કેસ કરવાનો હુંકાર
Published on: 03rd July, 2026

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે રામ મંદિરના દાનમાં કથિત અનિયમિતતા અને તેના દુરુપયોગના મુદ્દે ભાજપ અને આરએસએસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે દાવો કર્યો કે તેમના દ્વારા અપાયેલા દાનની ચોરી થઈ છે અને આ મામલે ચંપત રાય તથા અનિલ મિશ્રાને બચાવવામાં આવી રહ્યા છે. દિગ્વિજય સિંહે જાહેરાત કરી કે તેઓ 5-6 જુલાઈના રોજ અયોધ્યા જઈને પોતાના વકીલ દ્વારા કેસ દાખલ કરશે અને ટ્રસ્ટીઓને જેલમાં મોકલવાની માંગ કરશે. આ ઉપરાંત, તેમણે મહાકાલ મંદિરના દાન અંગે પણ શંકા વ્યક્ત કરી.