દેશમાં પહેલીવાર EDએ 792 કરોડના કૌભાંડમાં જપ્ત કરેલા વિમાનની હરાજી કરી
દેશમાં પહેલીવાર EDએ 792 કરોડના કૌભાંડમાં જપ્ત કરેલા વિમાનની હરાજી કરી
Published on: 03rd July, 2026

દેશમાં પ્રથમ વખત, પ્રવર્તન નિર્દેશાલય (ED)એ મની લોન્ડરિંગ કેસમાં જપ્ત કરેલા હોકર 800A વિમાનની હરાજી કરીને ઇતિહાસ રચ્યો છે. હૈદરાબાદ ઝોનલ ઓફિસે આ વિમાનને 3 કરોડ રૂપિયામાં વેચી દીધું છે. આ વિમાન 792 કરોડ રૂપિયાના કથિત પોન્ઝી કૌભાંડના આરોપી અમરદીપ કુમાર અને તેમની કંપની સાથે જોડાયેલા મામલામાં જપ્ત કરાયું હતું. EDનું કહેવું છે કે, હરાજીમાંથી મળેલી રકમનો ઉપયોગ ભોગ બનનાર રોકાણકારોને રાહત આપવા માટે કરવામાં આવશે. આ કાર્યવાહી મની લોન્ડરિંગ સામે એજન્સીની મોટી સફળતા ગણવામાં આવી રહી છે.