નાંદેડ-નાશિકની બેઠક બાબતે આઘાડી અનિર્ણિત
નાંદેડ-નાશિકની બેઠક બાબતે આઘાડી અનિર્ણિત
Published on: 30th May, 2026

મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણી માટે મહાવિકાસ આઘાડીએ 17માંથી 15 બેઠકોની વહેંચણી પર સર્વસંમતિ સાધી છે. કોંગ્રેસ 8, ઉદ્ધવ ઠાકરેની શિવસેના 4 અને શરદ પવારની એનસીપી 3 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે નાંદેડ અને નાશિકની 2 બેઠકો અંગે હજુ ચર્ચા ચાલુ છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ હર્ષવર્ધન સપકાળે જણાવ્યું કે આગામી બે દિવસમાં બાકી બેઠકો પર નિર્ણય લેવાશે. તેમણે ભાજપ પર હોર્સ ટ્રેડિંગ અને પૈસાના જોરે રાજકારણ કરવાનો આક્ષેપ કરતાં લોકશાહી અને બંધારણીય મૂલ્યોની રક્ષા માટે જનતાને એક થવાની અપીલ કરી હતી.