કોકરોચ જનતા પાર્ટીની બિહાર-બંગાળ CM ને ચીમકી: કેસો પાછા ખેંચવાની માંગ
કોકરોચ જનતા પાર્ટીની બિહાર-બંગાળ CM ને ચીમકી: કેસો પાછા ખેંચવાની માંગ
Published on: 27th July, 2026

બિહારના વિવિધ જિલ્લાઓમાં પ્રદર્શન બાદ વિદ્યાર્થીઓની ધરપકડ બાદ 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) એ પોલીસને 25 જુલાઈના દિલ્હી સમજૂતીનું પાલન કરવા અપીલ કરી છે. CJP એ બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને શુભેન્દુ અધિકારીને ટેગ કરીને પ્રદર્શનકારીઓ પર નોંધાયેલા અપરાધિક કેસો તાત્કાલિક પાછા ખેંચવાની માંગ કરી છે. વિપક્ષના નેતા તેજસ્વી યાદવે પણ ધરપકડો સામે આક્રમક વલણ અપનાવી સરકારને ચેતવણી આપી છે. અગાઉ CJP ની જેપી નડ્ડા અને જીતેન્દ્ર સિંહ સાથે થયેલી બેઠકમાં તમામ કેસ રદ કરવાની સહમતિ બની હતી.