AAP ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ!
નર્મદા જિલ્લાના દેડિયાપાડા AAP MLA ચૈતર વસાવા, તેમની પત્ની સહિત 9 લોકો વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરવાના કેસમાં દોષિત ઠેરવાયા છે. રાજપીપળા સેશન્સ કોર્ટે ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા ફટકારી છે. આ નિર્ણયથી તેમનું ધારાસભ્ય પદ પણ જોખમમાં મુકાયું છે. ચૈતર વસાવા પર સરકારી ફરજમાં રૂકાવટ, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ સાબિત થયો છે. કાયદા મુજબ, 2 વર્ષથી વધુની જેલ સજા પર ધારાસભ્ય પદ રદ થાય છે.
AAP ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ!
ફેક GTA VI બીટા ટેસ્ટિંગની લિંક્સથી થઈ શકે છે મોટું આર્થિક નુકસાન!
GTA VI ગેમ 19 નવેમ્બરે લોન્ચ થવાની તૈયારી વચ્ચે સાયબર ઠગોએ ફેક બીટા એક્સેસ અને વહેલી ડાઉનલોડ ઓફરની આડમાં ફિશિંગ કૌભાંડ શરૂ કર્યું છે. AIની મદદથી બનાવેલી નકલી ઇમેઇલ્સ અને વેબસાઇટ્સ દ્વારા ગેમર્સની વ્યક્તિગત માહિતી, લોગિન વિગતો અને પાસવર્ડ ચોરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને PC અને Android યુઝર્સને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. નિષ્ણાતોએ માત્ર સત્તાવાર સ્ત્રોતો પર જ ભરોસો રાખવા, શંકાસ્પદ લિંક્સથી દૂર રહેવા અને જરૂર પડે તો તરત પાસવર્ડ બદલી ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન સક્રિય કરવાની સલાહ આપી છે.
ફેક GTA VI બીટા ટેસ્ટિંગની લિંક્સથી થઈ શકે છે મોટું આર્થિક નુકસાન!
ભારત તરફ આવી રહેલા 11 જહાજે હોર્મુઝ પાર કર્યું.
મધ્ય પૂર્વના મહત્વના હોર્મુઝ જળમાર્ગમાં અવરજવર ફરી શરૂ થતાં ભારત માટે રાહતના સમાચાર છે. તાજેતરમાં સર્જાયેલા તણાવ છતાં, ૧૧ ભારતીય જહાજો આ માર્ગ સુરક્ષિત રીતે પાર કરી ચૂક્યા છે, જ્યારે ૧૦ જહાજો હજુ પ્રક્રિયામાં છે. ભારત માટે આ રૂટ અત્યંત મહત્વનો છે, કારણ કે દેશની ૮૦-૮૫% તેલની આયાત અને ખરીફ સીઝન માટે જરૂરી ખાતરનો પુરવઠો અહીંથી જ આવે છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ક્રૂડ ઓઈલ અને યુરિયા-DAP ભરેલા જહાજો આગામી દિવસોમાં ગુજરાતના વડિનાર, મુંદ્રા અને સિક્કા સહિત અન્ય બંદરો પર પહોંચશે, જેનાથી દેશની ઉર્જા અને ખાદ્ય સુરક્ષા જળવાઈ રહેશે.
ભારત તરફ આવી રહેલા 11 જહાજે હોર્મુઝ પાર કર્યું.
ખુરશી જોખમમાં મુકાયા બાદ મમતા બેનરજી એક્શન મોડમાં!
તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. મમતા બેનર્જીના નેતૃત્વ સામે બળવો કરનાર 8 દિગ્ગજ નેતાઓને પક્ષવિરોધી પ્રવૃત્તિઓ બદલ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બળવાખોર જૂથે મમતાને ચેરપર્સન પદેથી હટાવી અરૂપ રોયને નવા ચેરમેન તરીકે નિયુક્ત કર્યા હતા અને નવી કાર્યકારિણીની જાહેરાત કરી હતી. બળવાખોરોનો દાવો છે કે તેમને 60 ધારાસભ્યો અને 20 સાંસદોનું સમર્થન છે. આ ઘટનાથી TMCમાં મોટા ભંગાણની શક્યતા ઉભી થઈ છે અને પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ગરમાવો વધ્યો છે.
ખુરશી જોખમમાં મુકાયા બાદ મમતા બેનરજી એક્શન મોડમાં!
FASTag યૂઝર્સનો ઝટકો, આ હાઇવે અને એક્સપ્રેસવે પર કામ નહીં આવે એન્યૂઅલ પાસ!
દેશભરમાં ટોલ ચુકવણી સરળ બનાવવા માટે શરૂ કરાયેલ FASTag વાર્ષિક પાસ મુસાફરો માટે કેટલીક જગ્યાએ ઉપયોગી સાબિત થતો નથી. ₹3,000નો આ પાસ એક વર્ષ અથવા 200 ટ્રિપ્સ સુધી માન્ય છે, પરંતુ મુંબઈ-પુણે એક્સપ્રેસવે, સમૃદ્ધિ મહામાર્ગ, યમુના એક્સપ્રેસવે, આગ્રા-લખનૌ એક્સપ્રેસવે સહિત અનેક રાજ્ય સંચાલિત માર્ગો પર માન્ય નથી. કારણ કે આ માર્ગોની અલગ ટોલ સિસ્ટમ છે. આવા રૂટ પર ટોલની રકમ સીધી નિયમિત FASTag એકાઉન્ટમાંથી કપાશે. તેથી વાર્ષિક પાસ ધરાવતા મુસાફરોએ પણ પોતાના FASTagમાં પૂરતું બેલેન્સ જાળવવું જરૂરી છે.
FASTag યૂઝર્સનો ઝટકો, આ હાઇવે અને એક્સપ્રેસવે પર કામ નહીં આવે એન્યૂઅલ પાસ!
ભયાનક 'ગોડઝિલા' જેવો અલ નિનો સક્રિય! 150 વર્ષનો રેકોર્ડ તૂટશે?
પ્રશાંત મહાસાગરમાં ઝડપથી વિકસી રહેલા શક્તિશાળી ‘અલ નીનો’ અંગે નાસાએ ચેતવણી આપી છે. સેટેલાઇટ ડેટા મુજબ સમુદ્રની સપાટી નીચે મોટા પ્રમાણમાં ગરમ પાણી જમા થઈ રહ્યું છે, જેના કારણે દરિયાના તાપમાન અને જળસ્તરમાં વધારો થયો છે. વૈજ્ઞાનિકો તેને 1997ના ‘ગોડઝિલા અલ નીનો’ જેવી ગંભીર ઘટના ગણાવી રહ્યા છે. આની અસરથી વિશ્વભરમાં તાપમાન વધવાની અને વરસાદની પેટર્ન બદલાવાની શક્યતા છે. ભારતમાં કાળઝાળ ગરમી, નબળું ચોમાસું અને ખેતી તેમજ અર્થતંત્ર પર નકારાત્મક અસર થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
ભયાનક 'ગોડઝિલા' જેવો અલ નિનો સક્રિય! 150 વર્ષનો રેકોર્ડ તૂટશે?
ચૈતર વસાવાને કાવતરાથી સજા: કેજરીવાલનો ભાજપ પર આરોપ
આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત 9 આરોપીઓને નર્મદા જિલ્લામાં વન વિભાગની જમીન સંબંધિત જૂના કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે 7 વર્ષની જેલની સજા ફટકારી છે. આ ચુકાદા બાદ AAP નેતાઓ અને કોંગ્રેસે ભાજપ સરકાર પર કાવતરાનો આરોપ લગાવ્યો છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આને 'ED પાર્ટી'નું ષડયંત્ર ગણાવી કહ્યું કે આદિવાસી સમાજ અને ગુજરાતના લોકો ભાજપને જવાબ આપશે. AAP હાઈકોર્ટમાં અપીલ કરશે.
ચૈતર વસાવાને કાવતરાથી સજા: કેજરીવાલનો ભાજપ પર આરોપ
NEET કૌભાંડમાં મોટો ખુલાસો: નકલી વિદ્યાર્થીને બેસાવડા 40 લાખની ડીલ
બિહારમાં નીટ-યુજી રી-એક્ઝામ દરમિયાન સોલ્વર ગેંગનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. લખીસરાઈના પરીક્ષા કેન્દ્રમાં બાયોમેટ્રિક ચેકિંગ દરમિયાન અસલી ઉમેદવારની જગ્યાએ પરીક્ષા આપતો નકલી વિદ્યાર્થી રંગેહાથ ઝડપાયો હતો. પોલીસે નકલી અને અસલી ઉમેદવાર સહિત કુલ 14 લોકોની ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું કે પરીક્ષા આપવા માટે 30થી 40 લાખ રૂપિયાની ડીલ થઈ હતી. આ મામલાના તાર નાલંદાની પાવાપુરી મેડિકલ કોલેજ સુધી પહોંચ્યા છે, જ્યાં મુખ્ય શંકાસ્પદ સહિત ત્રણ MBBS વિદ્યાર્થીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે.
NEET કૌભાંડમાં મોટો ખુલાસો: નકલી વિદ્યાર્થીને બેસાવડા 40 લાખની ડીલ
AAPએ દાહોદમાં 3 તાલુકા પંચાયતના સભ્યોને સસ્પેન્ડ કર્યા
દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટીએ પક્ષવિરોધી પ્રવૃત્તિઓ અને શિસ્તભંગ બદલ ત્રણ ચૂંટાયેલા સભ્યો સામે કડક કાર્યવાહી કરી છે. તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન પક્ષના વ્હીપનો અનાદર કરીને ગેરહાજર રહેનાર દિનેશભાઈ બિલવાળ, કપિલાબેન માવી અને અંબાબેન ચરપોટને 6 વર્ષ માટે પક્ષના પ્રાથમિક સભ્યપદ તથા તમામ સંગઠનાત્મક જવાબદારીઓમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રદેશ પ્રમુખની સૂચના બાદ આ નિર્ણય લેવાયો છે. સાથે જ તમામ પદાધિકારીઓને આ સભ્યોને પક્ષના સત્તાવાર અને સોશિયલ મીડિયા ગ્રૂપોમાંથી તાત્કાલિક દૂર કરવાની સૂચના આપવામાં આવી છે.
AAPએ દાહોદમાં 3 તાલુકા પંચાયતના સભ્યોને સસ્પેન્ડ કર્યા
લખનઉ અગ્નિકાંડ: પપ્પા મને બચાવી લો... મોત સામે ઝઝૂમતા વિદ્યાર્થીનો છેલ્લો ફોન કોલ
લખનઉના અલીગંજ વિસ્તારમાં આવેલી ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતાં એનિમેશન સેન્ટર અને કોચિંગ ક્લાસના ૧૫ લોકોના મોત થયા છે. બિલ્ડિંગમાં અવરજવર માટે માત્ર એક જ રસ્તો હોવાથી અંદર હાજર લોકો ફસાઈ ગયા હતા અને કાળો ધુમાડો ફેલાતા મોતનો કૂવો બની ગઈ હતી. જીવ બચાવવા લોકોએ બારીઓમાંથી છલાંગ લગાવી હતી. ફાયર બ્રિગેડની ૧૯ ગાડીઓએ ભારે જહેમત બાદ દીવાલમાં ગાબડું પાડી રેસ્ક્યુ કર્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે રહેણાંક પરમિશન વાળી આ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો કે એનઓસી (NOC) નહોતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દોષિતો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે.
લખનઉ અગ્નિકાંડ: પપ્પા મને બચાવી લો... મોત સામે ઝઝૂમતા વિદ્યાર્થીનો છેલ્લો ફોન કોલ
અમદાવાદમાં દહેજ ભૂખ્યા પતિએ માંગ્યા 1 કરોડ રોકડા અને 3 લાખ પગાર
અમદાવાદના થલતેજ વિસ્તારમાં એક 29 વર્ષીય પરિણીતાએ પતિ અને સાસરિયાંઓ વિરુદ્ધ દહેજની મોટી માંગણી અને શારીરિક-માનસિક ત્રાસની પોલીસ ફરિયાદ નોંધાવી છે. લગ્નના થોડા મહિનાઓમાં જ ઝઘડા શરૂ થયા બાદ, સાસરિયાંઓએ પરિણીતાના પિતા પાસે 1 કરોડ રૂપિયા રોકડા અથવા નવું મકાન અને પતિને દર મહિને 3 લાખ રૂપિયાનો પગાર માંગ્યો હતો. આ ઉપરાંત, પરિણીતાના 105 તોલા સોનાના દાગીના પરત આપવાનો ઇનકાર કરીને તેને ઘરમાંથી કાઢી મૂકી હતી, જેના પગલે આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
અમદાવાદમાં દહેજ ભૂખ્યા પતિએ માંગ્યા 1 કરોડ રોકડા અને 3 લાખ પગાર
‘ડાયપર દાન કરો’ અભિયાન! NEET પેપર લીક વિરૂદ્ધ કોકરોચ જનતા પાર્ટીનો અનોખો વિરોધ.
દિલ્હીના જંતર-મંતર મેદાન પર NEET-UG પેપર લીક વિવાદ મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે કૉકરોચ જનતા પાર્ટી (CJP) નું વિરોધ પ્રદર્શન ચોથા દિવસે પણ ચાલુ રહ્યું છે. CJPએ અનોખો વિરોધ નોંધાવતા ‘ડાયપર અ ડે, કીપ્સ લીક્સ અવે’ નારા સાથે ‘ડાયપર દાન કરો’ અભિયાન શરૂ કર્યું છે. દેખાવકારોએ સવાલ ઉઠાવ્યો કે જો ₹૧૨નું ડાયપર લીકેજ ન થવાની ગેરંટી આપી શકે, તો NTA પેપર લીક કેમ ન અટકાવી શકે? પ્રદર્શનકારીઓએ પોલીસ પર જગ્યા મર્યાદિત કરવાનો આક્ષેપ કર્યો છે અને મંત્રીના રાજીનામા સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી છે.
‘ડાયપર દાન કરો’ અભિયાન! NEET પેપર લીક વિરૂદ્ધ કોકરોચ જનતા પાર્ટીનો અનોખો વિરોધ.
અમદાવાદમાં વેપારીએ કંપનીનો 'કલર' કરી નાખ્યો!
અમદાવાદના નારોલ વિસ્તારમાં કાપડના કલરનો વ્યવસાય કરતી ‘શ્રીજી કલર કેમ’ કંપની સાથે ₹૬૮.૦૮ લાખની છેતરપિંડીની ઘટના સામે આવી છે. ‘જલારામ ડાયસ્ટફ’ નામે ધંધો કરતા પરિચિત વેપારી જયમીન પ્રવીણભાઈ ઠક્કરે એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ દરમિયાન ₹૭૫.૮૩ લાખનો માલ ઉધાર ખરીદ્યો હતો, જેમાંથી ₹૫૪.૦૮ લાખ ચૂકવ્યા નહોતા. આ ઉપરાંત, ધંધામાં સારા વળતરની લાલચ આપી રોકાણના બહાને પોતાના અને પત્નીના ખાતામાં ₹૨૦ લાખ પડાવી તેમાંથી ₹૧૪ લાખ ઓળવી ગયા હતા. બાકી નીકળતી કુલ રકમ પરત ન આપતા કંપનીના મેનેજર ગોપાલભાઈ ભરવાડે આરોપી જયમીન ઠક્કર અને તેમની પત્ની વિરૂદ્ધ નારોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદમાં વેપારીએ કંપનીનો 'કલર' કરી નાખ્યો!
'તેનો પગ લપસી ગયો હતો...' મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક.
મહારાષ્ટ્રના લોહગઢ કિલ્લા પરથી ૨૪ વર્ષીય કેતન અગ્રવાલના અકસ્માતથી મોતના કેસમાં પોલીસે તેની મંગેતર સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરી દ્વારા કરાયેલી હત્યાનો પર્દાફાશ કર્યો છે. આગામી મહિને લગ્ન હોવા છતાં, ૧૯ જૂને સિયાના જન્મદિવસ પર બંનેએ કાવતરું રચી કેતનને ૩૫૦ ફૂટ ઊંડી ખાઈમાં ધકેલી દીધો હતો. અગાઉ સિયાએ બાલી ટ્રિપ કેન્સલ કરવા પોતાનો પાસપોર્ટ ફાડી નાખ્યો હતો અને કેતનને મારવાના બે અસફળ પ્રયાસો પણ કર્યા હતા. પોલીસે સેલ્ફી લેતા અકસ્માતની ખોટી વાર્તાને નકારીને ટેકનિકલ પુરાવા અને કોલ ડિટેઇલ્સના આધારે બંને આરોપીઓને કસ્ટડીમાં લીધા છે.
'તેનો પગ લપસી ગયો હતો...' મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક.
મુંબઈમાં ચોમાસાનું આગમન, ગુજરાતમાં ક્યારે થશે પધરામણી?
દેશભરમાં હવામાન બદલાઈ રહ્યું છે ત્યારે ગુજરાત માટે રાહતના સમાચાર છે. આગામી 2-3 દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે. મુંબઈમાં 12 દિવસના વિલંબ બાદ ચોમાસાનું આગમન થયું અને ધોધમાર વરસાદ શરૂ થયો. તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધ્યું છે. મુંબઈ માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. દેશમાં અત્યાર સુધી સરેરાશ કરતાં 43% ઓછો વરસાદ પડ્યો છે. ગુજરાત અને મધ્યપ્રદેશમાં આગામી 2-3 દિવસમાં ચોમાસું પહોંચશે, જ્યારે ઉત્તર પ્રદેશમાં 3-4 દિવસ પછી અને દિલ્હી, હરિયાણા, પંજાબમાં જુલાઈ સુધી રાહ જોવી પડશે.
મુંબઈમાં ચોમાસાનું આગમન, ગુજરાતમાં ક્યારે થશે પધરામણી?
ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500 રૂપિયા તો ચાંદી 10,500થી વધુ સસ્તી થઈ.
ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. સોમવારની સરખામણીએ આજે ચાંદી ₹૧૦,૫૬૬ ઘટીને ₹૨.૨૭ લાખ પ્રતિ કિલો અને ૨૪ કેરેટ સોનું ₹૨,૫૨૨ ઘટીને ₹૧.૪૫ લાખ પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગયું છે. ચાલુ મહિનામાં સોનામાં ₹૧૦,૭૪૮ અને ચાંદીમાં ₹૩૬,૦૧૫ નો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે સરકારે વિદેશી મુદ્રા ભંડાર પરનું દબાણ ઘટાડવા માટે સોના-ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યુટી ૬% થી વધારીને ફરી ૧૫% કરી દીધી છે, જેમાં કસ્ટમ ડ્યુટી અને સેસનો સમાવેશ થાય છે.
ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500 રૂપિયા તો ચાંદી 10,500થી વધુ સસ્તી થઈ.
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે UAE અને ઇઝરાયલ સાથે ભારતના મહત્વના સંરક્ષણ સોદા
મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ વચ્ચે ભારતે સંરક્ષણ ક્ષેત્રે એક નવી ઊંચાઈ હાંસલ કરી છે. UAE ને બ્રહ્મોસ મિસાઈલ પૂરી પાડવા અને ઇઝરાયલ સાથે સંયુક્ત ઉત્પાદન ભાગીદારી જેવી ડીલ, ભારતના રક્ષા નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. ભૂતકાળમાં આયાતકાર રહેલું ભારત હવે વિશ્વભરમાં શસ્ત્રોના વિશ્વસનીય સપ્લાયર તરીકે ઉભરી રહ્યું છે. આ વ્યૂહાત્મક પગલાં ભારતીય સંરક્ષણ ઉદ્યોગ માટે નવા દ્વાર ખોલી રહ્યા છે, જે તેને વૈશ્વિક સ્તરે એક મજબૂત ખેલાડી બનાવે છે.
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે UAE અને ઇઝરાયલ સાથે ભારતના મહત્વના સંરક્ષણ સોદા
IPLમાં મેગા ટ્રેડ: પંતની દિલ્હીમાં 'ઘરવાપસી', કુલદીપ યાદવ LSGમાં
IPL 2026 ની સમાપ્તિ બાદ દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે એક મોટા ટ્રેડ ડીલ થઈ છે. આ ડીલ હેઠળ, સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત દિલ્હી કેપિટલ્સમાં પાછા ફર્યા છે, જ્યારે દિલ્હીના સ્પિનર કુલદીપ યાદવ હવે લખનૌ સુપર જાયન્ટ્સ માટે રમશે. પંત 15 કરોડ રૂપિયામાં દિલ્હી સાથે જોડાયો છે, જ્યારે કુલદીપ યાદવ 13.5 કરોડ રૂપિયામાં LSGનો ભાગ બન્યો છે. આ ટ્રેડ બંને ટીમો માટે ફાયદાકારક માનવામાં આવે છે.
IPLમાં મેગા ટ્રેડ: પંતની દિલ્હીમાં 'ઘરવાપસી', કુલદીપ યાદવ LSGમાં
અમદાવાદમાં ડુપ્લિકેટ બ્લડ પ્લાઝમા રેકેટનો પર્દાફાશ!
અમદાવાદ ગ્રામ્ય SOGએ ચાંગોદર વિસ્તારમાં મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે, જ્યાં ફાર્મા કંપનીઓમાં સપ્લાય થતા અસલી બ્લડ પ્લાઝમાની ચોરી કરીને તેની જગ્યાએ ભેળસેળયુક્ત નકલી પ્લાઝમા સપ્લાય કરનાર ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 4 આરોપીઓની લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ છેલ્લા છ મહિનાથી આ કૌભાંડ ચલાવી રહી હતી. મુખ્ય આરોપી દિનેશ ચૌધરી, જે અગાઉ ફાર્મા કંપનીમાં કામ કરતો હતો, તેણે ડ્રાઈવરો સાથે મળી અસલી પ્લાઝમા ચોરીને તેની જગ્યાએ સલાઈન વોટરવાળા નકલી પ્લાઝમા ગોઠવી દેતો હતો. આ ચોરાયેલા અસલી પ્લાઝમાને બ્લડ બેન્કોમાં અડધી કિંમતે વેચી દેવામાં આવતો હતો.
અમદાવાદમાં ડુપ્લિકેટ બ્લડ પ્લાઝમા રેકેટનો પર્દાફાશ!
CM ભૂપેન્દ્ર પટેલે વડનગરથી ૨૪મા ‘શાળા પ્રવેશોત્સવ’નો પ્રારંભ કરાવ્યો
CM ભૂપેન્દ્ર પટેલે વડનગરની બી.એન. હાઈસ્કૂલથી ૨૪મા ‘શાળા પ્રવેશોત્સવ’નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. આ અભિયાન હેઠળ ૩૯૦ બાળકોનું નામાંકન થયું. મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદીના જીવનનું ઉદાહરણ આપી શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, આ અભિયાનથી ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે અને નામાંકન દર વધ્યો છે. ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ જેવી યોજનાઓ દીકરીઓ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે. કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન થયું અને વૃક્ષારોપણ કરાયું.
CM ભૂપેન્દ્ર પટેલે વડનગરથી ૨૪મા ‘શાળા પ્રવેશોત્સવ’નો પ્રારંભ કરાવ્યો
લાદેનને શરણ આપનારાઓ પર આટલો ભરોસો? જેડી વેન્સને ભારે પડ્યો પાકિસ્તાન પ્રેમ!
સ્વિટ્ઝરલેન્ડમાં યોજાયેલ મંત્રણા દરમિયાન અમેરિકન ઉપપ્રમુખ જેડી વેન્સ દ્વારા પાકિસ્તાન પ્રત્યેના પ્રેમના નિવેદનથી મોટો વિવાદ સર્જાયો છે. વેન્સે પાકિસ્તાની આર્મી ચીફને મહત્વની વ્યક્તિ ગણાવતાં અમેરિકાના બે રિપબ્લિકન સાંસદો, રિક સ્કોટ અને ટિમ શીહી, ભારોભાર નારાજ થયા છે. સાંસદોએ પાકિસ્તાનના આતંકવાદીઓને આશરો આપવાના અને લાદેનને છુપાવવાના ઇતિહાસની યાદ અપાવી, જ્યારે કતાર પર આતંકવાદી સંગઠનો માટે મની લોન્ડરિંગનો આરોપ મૂક્યો. તેમણે ભારપૂર્વક કહ્યું કે ઈઝરાયલ અને UAE જેવા દેશો જ મધ્ય પૂર્વમાં અમેરિકાના સાચા અને ભરોસાપાત્ર ભાગીદાર છે.
લાદેનને શરણ આપનારાઓ પર આટલો ભરોસો? જેડી વેન્સને ભારે પડ્યો પાકિસ્તાન પ્રેમ!
AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને પત્ની સહિત 9 લોકો જમીન વિવાદ કેસમાં દોષિત જાહેર
નર્મદાના દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન સંબંધિત વર્ષો જૂના કેસમાં રાજપીપળા સેસન્સ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને દોષિત જાહેર કરાયા છે. આ કેસ 2023માં જંગલ ખાતાની જમીનના વિવાદમાં ફોરેસ્ટ ઓફિસર પર થયેલા હુમલા સાથે સંકળાયેલો છે. કોર્ટ હવે સજાની જાહેરાત કરશે, જેમાં મહત્તમ 10 વર્ષ સુધીની કેદની જોગવાઈ છે. સજાના પ્રમાણ અંગે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ પોતાનો વિગતવાર આદેશ જાહેર કરશે.
AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને પત્ની સહિત 9 લોકો જમીન વિવાદ કેસમાં દોષિત જાહેર
1 જુલાઈથી બદલાશે આ 5 મોટા નિયમો, તમારા ખિસ્સા પર થશે સીધી અસર
જુલાઈ 2026ની શરૂઆત સાથે, દેશમાં અનેક નાણાકીય નિયમોમાં ફેરફાર થશે, જે સામાન્ય માણસના બજેટ પર અસર કરશે. આધાર કાર્ડમાં ઈમેલ અપડેટ હવે UIDAI દ્વારા મફત કરાશે. LPG, ATF, CNG અને PNGના ભાવમાં ફેરફારની શક્યતા છે. HDFC બેન્કના Regalia Gold Credit Card પર એરપોર્ટ લાઉન્જ સુવિધા માટે ખર્ચ મર્યાદા વધારાઈ છે. ગુજરાતમાં જુલાઈમાં બેન્કો નિયમિત રજાઓ સિવાય બંધ રહેશે નહીં, તેથી નાણાકીય કાર્યોનું આયોજન કરવું જરૂરી છે.
1 જુલાઈથી બદલાશે આ 5 મોટા નિયમો, તમારા ખિસ્સા પર થશે સીધી અસર
CBSE બોર્ડની બેદરકારી: વિદ્યાર્થિનીના 500માંથી 500 માર્ક્સ રિ-ઇવેલ્યુએશન બાદ આવ્યા!
ઝારખંડના રાંચીની વિદ્યાર્થિની અવની કેજરીવાલે CBSE ધોરણ-12 રિ-ઇવેલ્યુએશન પ્રક્રિયામાં 500માંથી 500 ગુણ મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. પ્રારંભિક પરિણામમાં અંગ્રેજી અને બિઝનેસ સ્ટડીઝમાં ઓછા ગુણ મળતા અવનીએ ગુણ ચકાસણી માટે અરજી કરી હતી. રિ-ઇવેલ્યુએશન બાદ અંગ્રેજીમાં 19 અને બિઝનેસ સ્ટડીઝમાં 5 ગુણ વધતા તેનો કુલ સ્કોર 100 ટકા થયો છે. CBSE દ્વારા આ વર્ષે ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમનો ઉપયોગ કરાયો હતો, જેના પરિણામે અનેક વિદ્યાર્થીઓએ ગુણાંકન અંગે રજૂઆતો કરી હતી.
CBSE બોર્ડની બેદરકારી: વિદ્યાર્થિનીના 500માંથી 500 માર્ક્સ રિ-ઇવેલ્યુએશન બાદ આવ્યા!
જામનગરના બેડીમાં મોહરમ નિયાઝ પ્રસાદી બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણું
જામનગરના બેડી સોઢા ફળી વિસ્તારમાં મોહરમ દરમિયાન નિયાઝની પ્રસાદી લેતી વખતે બાળકો વચ્ચે થયેલી સામાન્ય ધકામુક્કીએ મોટું સ્વરૂપ ધારણ કર્યું. આ ઘટના બાદ બે જૂથો વચ્ચે પથ્થરમારો અને મારપીટ થતાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં ગાળો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપવાના અને લાકડી-પથ્થરમારો કરવાના આરોપો છે. પોલીસે BNS અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી શાંતિ જાળવવા ચુસ્ત બંદોબસ્ત સાથે તપાસ શરૂ કરી છે.
જામનગરના બેડીમાં મોહરમ નિયાઝ પ્રસાદી બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણું
પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે અમદાવાદના વૃદ્ધને લૂંટ્યા!
અમદાવાદ સાયબર ફ્રોડમાં હવે સિનિયર સિટીઝન્સને નિશાન બનાવાઈ રહ્યા છે. ચાંદખેડાના 70 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ સાથે બેન્ક અધિકારી તરીકે ખોટી ઓળખ આપી, પેન્શન કાર્ડ વેરિફિકેશનના બહાને APK ફાઈલ ઇન્સ્ટોલ કરાવી, તેમના બેન્ક ખાતામાંથી 39.70 લાખ રૂપિયા ડિજિટલી લૂંટી લેવાયા. વૃદ્ધની ટેકનોલોજીની ઓછી જાણકારીનો લાભ ઉઠાવી, ઠગે OTP મેળવી આ છેતરપિંડી આચરી. બાદમાં બેન્ક એકાઉન્ટ્સ બ્લોક કરાવી 1930 પર ફરિયાદ નોંધાવી છે.
પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે અમદાવાદના વૃદ્ધને લૂંટ્યા!
શિંદેની 2029ની મોટી જાહેરાત: ફડણવીસ અને મહાયુતિ ગઠબંધન માટે મોટો પડકાર
મહારાષ્ટ્રના રાજકારણમાં 'ઓપરેશન ટાઇગર' બાદ એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે જૂથના 6 સાંસદોને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા છે. આ મંચ પરથી જ શિંદેએ 2029ની લોકસભા ચૂંટણીમાં આ સાંસદોને શિવસેનાની ટિકિટ પર ચૂંટણી લડાવવાની જાહેરાત કરી છે, જે દેવેન્દ્ર ફડણવીસ અને મહાયુતિ ગઠબંધન માટે મોટો પડકાર બની શકે છે. આ જાહેરાતથી ભાજપ અને NCPના કબજાવાળી બેઠકો પર શિંદે સેનાનો દાવો મજબૂત થયો છે, જેના કારણે બેઠકોની વહેંચણી (seat sharing) અંગે રાજકીય ગરમાવો વધ્યો છે.
શિંદેની 2029ની મોટી જાહેરાત: ફડણવીસ અને મહાયુતિ ગઠબંધન માટે મોટો પડકાર
'શબ્દો ખૂટી પડ્યા છે...', ટીમ ઇન્ડિયાની જર્સી પર પોતાનું નામ જોઈ ભાવુક થયો વૈભવ સૂર્યવંશી
૧૫ વર્ષીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશી આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય T20 ટીમમાં પ્રથમ વખત પસંદગી પામ્યા છે. ટીમ ઇન્ડિયાની સત્તાવાર જર્સી પર પોતાનું નામ જોઈને તેઓ ભાવુક થઈ ગયા હતા. BCCI દ્વારા શેર કરાયેલા એક વીડિયોમાં વૈભવે જણાવ્યું કે, ભારતની બ્લુ જર્સી પહેરવાનું તેનું બાળપણનું સપનું આજે હકીકત બન્યું છે, જેના પર તેમને વિશ્વાસ નથી આવી રહ્યો. આ અનુભવને શબ્દોમાં વર્ણવવો મુશ્કેલ છે, જાણે આ બધું એક સ્વપ્ન હોય.
'શબ્દો ખૂટી પડ્યા છે...', ટીમ ઇન્ડિયાની જર્સી પર પોતાનું નામ જોઈ ભાવુક થયો વૈભવ સૂર્યવંશી
1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે આધાર કાર્ડની આ સુવિધા!
UIDAI (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા) એ આધાર ધારકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. 1 જુલાઈ 2026 થી 31 ડિસેમ્બર 2026 સુધી, આધારમાં ઈમેલ આઈડી અપડેટ કરવાની સુવિધા તદ્દન મફત આપવામાં આવશે. સામાન્ય રીતે આ સેવા માટે 75 રૂપિયા ફી વસૂલવામાં આવે છે. આ મફત સુવિધાનો લાભ ફક્ત 'આધાર મોબાઈલ એપ' દ્વારા જ લઈ શકાશે. ઈમેલ અપડેટ કરવાથી આધાર સંબંધિત સૂચનાઓ મેળવવામાં અને સુરક્ષા વધારવામાં મદદ મળે છે.
1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે આધાર કાર્ડની આ સુવિધા!
સુરેન્દ્રનગરમાં પંચરવાળા શ્રમિકના નામે પત્રકારે 75.28 કરોડનું આચર્યું કૌભાંડ
સુરેન્દ્રનગરના થાન પોલીસ મથકે પત્રકાર સહિત ત્રણ શખસો સામે 75.28 કરોડ રૂપિયાની મોટી છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ન્યૂઝપેપરમાં સભ્ય બનાવવાના બહાને ફરિયાદી પાસેથી ઓળખના પુરાવા મેળવી, ખોટી સહીઓ દ્વારા પેઢી ઊભી કરીને આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. ફરિયાદી, જે પંચરની દુકાન ચલાવે છે, તેની પાસે વર્ષ 2012માં પત્રકાર કાળુ ઉર્ફે ભરત દવે આવ્યો હતો. તેણે ન્યૂઝપેપરના સભ્ય બનાવવાના બહાને ફોર્મમાં સહીઓ કરાવીને ફરિયાદીના નામે શ્રી મહાલક્ષ્મી એન્ટરપ્રાઈઝ નામની પેઢી શરૂ કરી. 2012થી 2016 દરમિયાન, કાળુ અને તેના સાગરિતોએ ફરિયાદીની ખોટી સહીઓનો ઉપયોગ કરીને લગભગ 71 કરોડ રૂપિયાના વ્યવહારો કર્યા, જેના કારણે ફરિયાદીને 4.27 કરોડ રૂપિયાની ઇન્કમટેક્સ નોટિસ પણ મળી.
સુરેન્દ્રનગરમાં પંચરવાળા શ્રમિકના નામે પત્રકારે 75.28 કરોડનું આચર્યું કૌભાંડ
કામાખ્યા મંદિરમાં અંબુબાચી મહાયોગ શરૂ
અસમમાં ગુવાહાટી સ્થિત પવિત્ર કામાખ્યા મંદિરમાં વાર્ષિક અંબુબાચી મહાયોગની શરૂઆત સાથે જ મંદિરના દ્વાર ભક્તો માટે ત્રણ દિવસ બંધ કરવામાં આવ્યા છે. આ પરંપરા દેવી કામાખ્યાના વાર્ષિક માસિક ધર્મ ચક્ર સાથે જોડાયેલી છે. આ સમયગાળા દરમિયાન ગર્ભગૃહમાં પૂજા-અર્ચના સ્થગિત રહેશે. 'પૂર્વના મહાકુંભ' તરીકે ઓળખાતા આ ઉત્સવમાં દેશ-વિદેશથી હજારો સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ ભાગ લેવા આવે છે. આ મેળો સ્ત્રી શક્તિ અને ફળદ્રુપતાની પૂજા સાથે સંબંધિત છે. ત્રણ દિવસ બાદ મંદિર ખુલ્યા પછી ભક્તોને પવિત્ર પ્રસાદ મળશે.