શેરબજારમાં તેજી-નફાવસૂલીની ખેંચતાણ, અસ્થિરતા વચ્ચે રોકાણકારો સાવચેત
શેરબજારમાં તેજી-નફાવસૂલીની ખેંચતાણ, અસ્થિરતા વચ્ચે રોકાણકારો સાવચેત
Published on: 18th June, 2026

ભારતીય શેરબજારમાં બુધવારે તેજી છતાં ભારે અસ્થિરતા જોવા મળી. શરૂઆતમાં સકારાત્મક માહોલ બાદ નફાવસૂલી અને નવી ખરીદી વચ્ચે ખેંચતાણ રહી. બેંકિંગ અને નાણાકીય સેવા ક્ષેત્રમાં મજબૂત ખરીદીથી મુખ્ય સૂચકાંકો ઊંચા રહ્યા. વૈશ્વિક ટેન્શન હળવા થતાં ક્રુડ ઓઈલના ભાવ ઘટતાં અને નાણા પ્રધાનના પ્રોત્સાહક નિવેદનોએ બજારને ટેકો આપ્યો. ફંડોએ સતત ત્રીજા દિવસે ઉછાળો આપ્યો. સેન્સેક્સ અને નિફ્ટીમાં દિવસ દરમિયાન ઉતાર-ચઢાવ રહ્યો, પરંતુ અંતે બંને તેજીમાં બંધ થયા.