ITR રિફંડની જગ્યાએ નોટિસ?
ITR રિફંડની જગ્યાએ નોટિસ?
Published on: 06th August, 2026

જો તમે ITR ભર્યા બાદ રિફંડની જગ્યાએ નોટિસ આવે તો ગભરાવાની જરૂર નથી. આવકવેરા વિભાગ, તમારી આવક, TDS, AIS, TIS અને થર્ડ પાર્ટી ડેટાની સરખામણી કરીને તપાસ કરે છે. જો કોઈ વિસંગતતા જણાય તો રિફંડ રોકી નોટિસ મોકલી શકાય છે. CA સંતોષ મિશ્રા મુજબ, દરેક નોટિસ ખોટું કામ સૂચવતી નથી; ઘણીવાર તે સિસ્ટમ-જનરેટેડ હોય છે. વધુ પડતા ડિડક્શન ક્લેમ, આવકમાં મેળ ન હોવો, TDSમાં તફાવત, મોટી રકમનું ટ્રાન્ઝેક્શન કે જૂની પેન્ડિંગ ટેક્સ ડિમાન્ડ જેવા કારણોસર નોટિસ આવી શકે છે. યોગ્ય જવાબ આપીને બિનજરૂરી વિલંબ અને દંડ ટાળી શકાય છે.