તાપીના પૂરમાંથી બચેલી જળબિલાડી આજે સુરતની શાન.
તાપીના પૂરમાંથી બચેલી જળબિલાડી આજે સુરતની શાન.
Published on: 27th May, 2026

દર વર્ષે મે મહિનાના છેલ્લા બુધવારે વિશ્વભરમાં વર્લ્ડ ઓટર ડે (વિશ્વ જળબિલાડી દિવસ) ઉજવવામાં આવે છે. આ દિવસ નિમિત્તે સુરત માટે ગૌરવના સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2006માં તાપી નદીના પૂર દરમિયાન બચાવવામાં આવેલી માત્ર 3 જળબિલાડીઓથી શરૂ થયેલી સફર આજે 63 ઓટર્સ સુધી પહોંચી છે. Sarthana Nature Park હવે દેશનું સૌથી સફળ ઓટર બ્રિડિંગ હબ બની ગયું છે. દેશના 500થી વધુ પ્રાણીસંગ્રહાલયોમાં સુરત એકમાત્ર એવું કેન્દ્ર છે જ્યાં જળબિલાડીઓનું સતત અને સફળ પ્રજનન થઈ રહ્યું છે.