નવી ગાડી ખરીદતા પહેલાં વિચારજો!, E20 નીતિ સામે કેજરીવાલની ચિંતા અને સલાહ
નવી ગાડી ખરીદતા પહેલાં વિચારજો!, E20 નીતિ સામે કેજરીવાલની ચિંતા અને સલાહ
Published on: 06th August, 2026

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે E20 અને E50 ઇથેનોલ મિશ્રણ સામે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે દાવો કર્યો છે કે સરકાર જૂની E0 અને E10 ગાડીઓમાં E20 પેટ્રોલ નંખાવીને તેને નકામી બનાવી રહી છે, અને હવે નવી E20 ગાડીઓમાં પણ ભવિષ્યમાં 50 ટકા ઇથેનલોલ મિશ્રિત કરી નુકસાન કરશે. આ કારણે, તેમણે લોકોને આગામી થોડા વર્ષો સુધી નવી પેટ્રોલ અને ડીઝલ ગાડીઓ ખરીદવાનું ટાળવાની સલાહ આપી છે. પંજાબમાં E20 પેટ્રોલ લાગુ થયા બાદ જૂની ગાડીઓના બજારમાં 1000 કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જેના કારણે ઓટોમોબાઈલ માર્કેટમાં અનિશ્ચિતતા વધી છે.