સીમાંકન બિલ પર રાહુલ ગાંધીની આકરી શરત
સીમાંકન બિલ પર રાહુલ ગાંધીની આકરી શરત
Published on: 06th August, 2026

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂને સ્પષ્ટ કર્યું કે વિપક્ષ સીમાંકન બિલ સ્વીકારવા તૈયાર નથી. આ મુદ્દે સરકાર રાજકીય પક્ષોને અલગ-અલગ મળવાને બદલે સર્વપક્ષીય બેઠક કેમ નથી બોલાવતી તેવો સવાલ તેમણે ઉઠાવ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ સંસદનું કામકાજ સરળતાથી ચાલવા દેવા માટે બે મુખ્ય માંગણીઓ મૂકી છે. ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન અને રામ મંદિરમાં ચોરીના મુદ્દે ચર્ચા સિવાય સંસદની કાર્યવાહી નહીં ચાલે તેવું તેમણે જણાવ્યું.