શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને ટ્રેન હુમલા કેસમાં રાહત, GRP પોલીસે આપી ક્લીન ચિટ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને ટ્રેન હુમલા કેસમાં રાહત, GRP પોલીસે આપી ક્લીન ચિટ
Published on: 18th June, 2026

જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વિરુદ્ધ નોંધાયેલી FIRમાં તેમને ક્લીન ચિટ મળી છે. આ અંગેની માહિતી શંકરાચાર્યના મીડિયા પ્રભારી શૈલેન્દ્ર યોગીરાજ સરકારે એક યાદી જાહેર કરીને આપી છે. જોકે, GRP પોલીસે હાલમાં આ મામલે કોઈ પણ માહિતી હોવાનો ઈનકાર કર્યો છે. અવિમુક્તેશ્વરાનંદ અને તેમના સહયોગીઓ વિરુદ્ધ આશુતોષ બ્રહ્મચારીએ FIR નોંધાવી હતી, જેમાં ટ્રેનમાં જીવલેણ હુમલો કરાવવાનો આરોપ હતો.