ગુજરાતમાં વૈજ્ઞાનિકો સૂર્યનું રહસ્ય ઉકેલવા, કૃત્રિમ સૂરજ બનાવવા સંશોધન શરૂ
ગુજરાતમાં વૈજ્ઞાનિકો સૂર્યનું રહસ્ય ઉકેલવા, કૃત્રિમ સૂરજ બનાવવા સંશોધન શરૂ
Published on: 15th September, 2026

ગુજરાતના ગાંધીનગરમાં વૈજ્ઞાનિકો સૂર્ય જેવી જ પ્રક્રિયા દ્વારા ઊર્જા ઉત્પન્ન કરવા પર સંશોધન કરી રહ્યા છે. પ્લાઝમા સંશોધન સંસ્થામાં SST-1 મશીન દ્વારા અત્યંત ગરમ પ્લાઝમામાં સૂર્યની અંદર થતી પરમાણુ સંલયનની પ્રક્રિયાનો અભ્યાસ કરાઈ રહ્યો છે. આ પ્રયોગનો મુખ્ય હેતુ સૂર્ય બનાવવાનો નથી, પરંતુ પૃથ્વી પર આ પ્રક્રિયાને નિયંત્રિત રીતે કરીને સ્વચ્છ ઊર્જા મેળવવાનો છે. આ સંશોધન સફળ થતાં ભવિષ્યમાં પેટ્રોલ-ડીઝલ અને કોલસા જેવા પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતા ઘટશે અને સ્વચ્છ ઊર્જાનો નવો યુગ શરૂ થશે.