પિંગલી વેંકૈયા: ભારતના પોતાના ધ્વજની જરૂરિયાત અને રચના
પિંગલી વેંકૈયા: ભારતના પોતાના ધ્વજની જરૂરિયાત અને રચના
Published on: 22nd July, 2026

આઝાદીની ચળવળ સમયે, દેશભક્તોને એક કરવા માટે રાષ્ટ્રધ્વજની આવશ્યકતા અનુભવાઈ. પિંગલી વેંકૈયા, જેમણે 1916માં ‘A National Flag for India’ પુસ્તક પ્રકાશિત કર્યું, તેમણે 30 દેશોના ધ્વજનો અભ્યાસ કર્યો. બ્રિટિશ યુનિયન જેક જોઈને વ્યથિત થયેલા વેંકૈયાએ ભારત માટે પોતાના ધ્વજ બનાવવાનો મક્કમ નિર્ધાર કર્યો. 1921માં તેમણે મહાત્મા ગાંધીજીને 'સ્વરાજ ધ્વજ' અર્પણ કર્યો, જેમાં બાદમાં સફેદ પટ્ટી અને ચરખો ઉમેરાયા, જે ત્રિરંગાનો આધાર બન્યો. વેંકૈયા માત્ર ધ્વજ રચયિતા જ નહોતા, પરંતુ સ્વતંત્રતા સંગ્રામમાં પણ તેમનું યોગદાન અમૂલ્ય હતું.