8 વર્ષના લોહિયાળ જંગ બાદ ઈરાનના ખામેનેઈનો મૃતદેહ ઈરાક કેમ લઈ જવાશે?
8 વર્ષના લોહિયાળ જંગ બાદ ઈરાનના ખામેનેઈનો મૃતદેહ ઈરાક કેમ લઈ જવાશે?
Published on: 07th July, 2026

ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના અવસાન બાદ દેશભરમાં શોક પ્રસરાયો છે. તેમની અંતિમયાત્રા 'કોમ' શહેરમાં પહોંચી છે. આ વચ્ચે ચર્ચાનો વિષય એ છે કે, તેમના મૃતદેહને તે દેશમાં લઈ જવાશે જેની સાથે ઈરાનનો 8 વર્ષ સુધી ભયાનક સંઘર્ષ રહ્યો છે. ઈરાન ખામેનેઈના શવને ઈરાક લઈ જવાની તૈયારી કરી રહ્યું છે. ઈરાક અને ઈરાન વચ્ચે 1980 થી 1988 સુધી ભીષણ યુદ્ધ ચાલ્યું હતું. કોમ શહેરની જમકરણ મસ્જિદમાં લોકોને શ્રદ્ધાંજલિ આપવાની તક મળશે. અંતિમ વિધિ 9 જુલાઈના રોજ મશહદમાં થશે.