યુદ્ધ મોરચે ભાડૂતી સૈનિકો: ગરીબોના શોષણની કહાણી.
યુદ્ધ મોરચે ભાડૂતી સૈનિકો: ગરીબોના શોષણની કહાણી.
Published on: 10th May, 2026

રશિયા-યુક્રેન યુદ્ધે લાખોનો ભોગ લીધો છે, અર્થતંત્રને ધ્રુજાવી દીધું છે. શરણાર્થી સંકટ સર્જાયું છે. યુક્રેન ‘ફૂડ બાસ્કેટ’ હોવા છતાં નિકાસ અવરોધાઈ છે. આ યુદ્ધે NATO ને નવી ઊર્જા આપી છે, પણ UN નું અસ્તિત્વ નબળું પાડ્યું છે. રશિયાએ ભાડૂતી સૈનિકો, ખાસ કરીને વેગનર ગ્રુપનો ઉપયોગ કર્યો. ભારતીય અને પેરુવિયન યુવાનોને ઊંચા પગારની લાલચ આપી યુદ્ધમાં ધકેલાયા, જે માનવ તસ્કરી સમાન છે. આ આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન છે.