છોટાઉદેપુરના નસવાડી ગાયત્રી શક્તિપીઠ વિદ્યાપીઠમાં મૌન સાધના શિબિર
છોટાઉદેપુરના નસવાડી ગાયત્રી શક્તિપીઠ વિદ્યાપીઠમાં મૌન સાધના શિબિર
Published on: 21st August, 2026

છોટાઉદેપુરના નસવાડી ગામે ગાયત્રી શક્તિપીઠ વિદ્યાપીઠ ખાતે દ્વિતીય એક દિવસીય મૌન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ શિબિરમાં 23 બહેનો અને 40 પુરુષો સહિત કુલ 63 ભાવિક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો. આધુનિક જીવનની દોડધામથી દૂર, પોતાની જાત સાથે સમય પસાર કરી મનની શાંતિ અને એકાગ્રતા કેળવવાના ઉદ્દેશ્યથી આ શિબિર યોજાઈ હતી. મૌન અને ધ્યાન દ્વારા ભાવિકોએ આત્મિક ઉર્જાનો અનુભવ કર્યો.