રામ મંદિર ટ્રસ્ટના ચોંકાવનારા ખુલાસા: દાન કરતાં વ્યાજ વધુ, ગેરહિસાબી ખર્ચ
રામ મંદિર ટ્રસ્ટના ચોંકાવનારા ખુલાસા: દાન કરતાં વ્યાજ વધુ, ગેરહિસાબી ખર્ચ
Published on: 17th June, 2026

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના દસ્તાવેજો મુજબ, છેલ્લા 11 મહિનામાં મંદિરને મળેલા દાન કરતાં બેંક ડિપોઝિટ પર વધુ વ્યાજ મળ્યું છે. કુલ 83 કરોડના દાન સામે, 138 કરોડ રૂપિયા વ્યાજ પેટે મળ્યા છે. આ ઉપરાંત, ધર્મધ્વજારોહણ કાર્યક્રમ જેવા આયોજનો પર ટ્રસ્ટે 10 કરોડથી વધુ ખર્ચ કર્યા, જેની વિગતો ટ્રસ્ટ સભ્યોને પણ આપવામાં આવી ન હતી. મંદિરની સુરક્ષા પાછળ 10 કરોડ ખર્ચવા છતાં દાનપેટીમાંથી ચોરીની ઘટનાઓ સામે આવી છે, જે સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ સર્જે છે.