'વંદે માતરમ્'ને રાષ્ટ્રગીત જેવો દરજ્જો, અપમાન પર જેલ.
'વંદે માતરમ્'ને રાષ્ટ્રગીત જેવો દરજ્જો, અપમાન પર જેલ.
Published on: 06th May, 2026

પશ્ચિમ બંગાળમાં પ્રચંડ જીત બાદ PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની પહેલી બેઠક યોજાઈ હતી, જેમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ભાવનાનું ઐતિહાસિક પ્રતીક રાષ્ટ્રીય ગાન 'વંદે માતરમ્'ને દેશની એકતા અને સાર્વભૌમત્વનું પ્રતીક રાષ્ટ્રગીત 'જન ગણ મન' જેવો જ દરજ્જો આપવાની ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. કેબિનેટની બેઠકમાં સરકારે ‘રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ’માં સુધારાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. આ સુધારો લાગુ થયા બાદ બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા રચિત ‘વંદે માતરમ્’ પર એ જ નિયમો અને પ્રતિબંધો લાગુ થશે જે અત્યારે રાષ્ટ્રગીત 'જન ગણ મન' માટે છે. તેનું ઉલ્લંઘન સંજ્ઞેય ગુનો માનવામાં આવશે.