શૂટિંગના દિગ્ગજ જસપાલ રાણાનું નિધન, જર્મનીથી પરત ફર્યા બાદ તબિયત લથડી
શૂટિંગના દિગ્ગજ જસપાલ રાણાનું નિધન, જર્મનીથી પરત ફર્યા બાદ તબિયત લથડી
Published on: 12th June, 2026

ભારતીય શૂટિંગ જગતના દિગ્ગજ ખેલાડી અને જાણીતા કોચ જસપાલ રાણાનું 49 વર્ષની નાની ઉંમરે અવસાન થયું છે. જર્મનીથી ભારત પરત ફરતી વખતે તેમને અચાનક શારીરિક અસ્વસ્થતા થતાં નવી દિલ્હી એરપોર્ટ પરથી તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. નેશનલ રાઈફલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI) દ્વારા તેમના નિધનની પુષ્ટિ કરાઈ છે. તેઓ સૌરભ ચૌધરી, અનીશ ભાનવાલા અને મનુ ભાકર જેવા ખેલાડીઓના કોચ રહી ચૂક્યા છે. 2020માં તેમને દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કરાયા હતા.