રિઝર્વ બેંક દ્વારા લોન રિકવરી એજન્ટો પર કડક કાર્યવાહીનો પ્રસ્તાવ: દેવાદારો માટે રાહતના સમાચાર.
રિઝર્વ બેંક દ્વારા લોન રિકવરી એજન્ટો પર કડક કાર્યવાહીનો પ્રસ્તાવ: દેવાદારો માટે રાહતના સમાચાર.
Published on: 14th February, 2026

RBI દ્વારા લોન રિકવરી એજન્ટોની દાદાગીરી પર લગામ કસવા માટે નિયમોનો ડ્રાફ્ટ જાહેર કરાયો. જેમાં દેવાદારો સાથે ગેરવર્તન, ધમકીભરી ભાષા કે હેરાનગતિ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. બેંકોને ફરિયાદ નિવારણ માટે મિકેનિઝમ બનાવવું પડશે. નિયમો 1 જુલાઈ, 2026થી અમલમાં આવશે અને 4 માર્ચ સુધી પ્રતિસાદ ઉપલબ્ધ છે.