રાઘવ ચઢ્ઢા ભાજપમાં જોડાયા, પરંતુ 'ટેકનિકલ' કારણોસર મુશ્કેલીઓ વધી.
રાઘવ ચઢ્ઢા ભાજપમાં જોડાયા, પરંતુ 'ટેકનિકલ' કારણોસર મુશ્કેલીઓ વધી.
Published on: 25th April, 2026

AAP નેતા રાઘવ ચઢ્ઢા ભાજપમાં જોડાવાની જાહેરાતથી રાજકીય સંકટ ઊભું થયું છે. રાઘવ ચઢ્ઢાનો દાવો છે કે AAPના રાજ્યસભાના કુલ સાંસદોમાંથી બે તૃતીયાંશ (2/3) એટલે કે 10માંથી 7 સાંસદો તેમની સાથે છે. આ વિલયને કાયદેસર માન્યતા અપાવવા માટે રાઘવ ચઢ્ઢાએ તમામ 7 સાંસદોની સહી વાળો પત્ર રાજ્યસભાના સભાપતિને સોંપ્યો છે. બંધારણના પક્ષાંતર વિરોધી કાયદા મુજબ, જ્યાં સુધી રાજ્યસભાના સભાપતિ આ વિલયને સત્તાવાર મંજૂરી ન આપે ત્યાં સુધી આ સાંસદો સત્તાવાર રીતે ભાજપના સભ્ય ગણાશે નહીં.