રાહુલ ગાંધીનો સવાલ- 47 કિમી સુધી પોલીસને કેમ ભનક ન લાગી?
રાહુલ ગાંધીનો સવાલ- 47 કિમી સુધી પોલીસને કેમ ભનક ન લાગી?
Published on: 01st September, 2026

ગ્રેટર નોઇડાથી દિલ્હી જતી સ્લીપર બસમાં 16 વર્ષની સગીરા પર ડ્રાઇવર અને કંડક્ટર દ્વારા ગેંગરેપની ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર અને યુપી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે 47 કિલોમીટરના પ્રવાસ દરમિયાન, દિલ્હી-NCRમાં જ્યાં સુરક્ષા વ્યવસ્થા હોવી જોઈએ ત્યાં પોલીસને આ ગંભીર ગુનાની જાણ કેમ ન થઈ? ચેકપોસ્ટ પર બસ કેમ રોકાઈ નહીં તે અંગે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી. નિર્ભયા કાંડ બાદ પણ આવા નિયમોનું પાલન કેમ નથી થતું તેવો સવાલ તેમણે કર્યો, જે વહીવટી નિષ્ફળતા દર્શાવે છે.