સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપી નિર્દોષ, બોમ્બે હાઈકોર્ટનો નિર્ણય યથાવત્.
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપી નિર્દોષ, બોમ્બે હાઈકોર્ટનો નિર્ણય યથાવત્.
Published on: 07th May, 2026

બોમ્બે હાઈકોર્ટે સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં ૨૨ આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના સેશન્સ કોર્ટના ચુકાદાને પડકારતી રુબાબુદ્દીન શેખની અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસે જણાવ્યું કે ટ્રાયલ કોર્ટના નિર્ણયમાં દખલ કરવા માટે કોઈ મજબૂત આધાર નથી. વર્ષ ૨૦૦૫માં બનેલી આ ઘટનામાં સોહરાબુદ્દીન, કૌસર બી અને તુલસીરામ પ્રજાપતિની હૈદરાબાદથી સાંગલી જતી વખતે અટકાયત કરવામાં આવી હતી. કોર્ટના આ આદેશ સાથે ગુજરાત અને રાજસ્થાન પોલીસના કર્મચારીઓ સહિતના તમામ આરોપીઓની મુક્તિ યથાવત રહી છે.