યુદ્ધગ્રસ્ત યુક્રેનને ભારતે શાંતિ સ્થાપવા મદદની ઓફર કરી
યુદ્ધગ્રસ્ત યુક્રેનને ભારતે શાંતિ સ્થાપવા મદદની ઓફર કરી
Published on: 03rd September, 2026

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે યુક્રેનની રાજધાની કીવ ખાતે યુક્રેનના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી. તેમણે યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને કહ્યું કે ભારત કોઈપણ મદદ કરવા તૈયાર છે. જયશંકરે જણાવ્યું કે યુદ્ધનો અંત રણમેદાનમાં નહીં, પરંતુ વાતચીત અને કૂટનીતિ દ્વારા જ શક્ય છે. આ મુલાકાતમાં દ્વિપક્ષીય વેપાર, AI, ડિજિટલ ટેકનોલોજી, કૃષિ, ફાર્માસ્યુટિકલ્સ અને શિક્ષણ ક્ષેત્રે સહકાર અંગે પણ ચર્ચા થઈ.