નેપાળ પૂરમાં સહાયના નામે QR કોડ દ્વારા ઠગાઈ
નેપાળ પૂરમાં સહાયના નામે QR કોડ દ્વારા ઠગાઈ
Published on: 03rd September, 2026

નેપાળમાં આવેલી વિનાશક પૂર હોનારત બાદ અનેક લોકો પીડિતોને મદદ કરી રહ્યા છે. જોકે, કેટલાક ઠગ તત્વો આ માનવતાના કાર્યનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર નેપાળના પૂરગ્રસ્તોની દર્દનાક રીલ મૂકી, રૂ.251 જેવી નાની રકમની મદદની અપીલ સાથે QR કોડ આપી ઠગાઈ કરવામાં આવી રહી છે. આ નાણાં ખરેખર પીડિતો સુધી પહોંચે છે કે કેમ તે મોટો સવાલ છે. નેપાળ તંત્રએ પણ આવા શંકાસ્પદ ડોનેશન એકાઉન્ટ સામે લોકોને સાવચેત રહેવા અને માત્ર સત્તાવાર માધ્યમોનો ઉપયોગ કરવા જણાવ્યું છે.