PM મોદીના આગમનથી ગણેશોત્સવની પરવાનગી રદ થવાની ચર્ચા
PM મોદીના આગમનથી ગણેશોત્સવની પરવાનગી રદ થવાની ચર્ચા
Published on: 03rd September, 2026

આગામી 8 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા આગમનને કારણે ગણેશોત્સવના આયોજકોની પરવાનગી રદ થવાની ચર્ચાએ ચિંતા વધારી છે. અગાઉથી મંજૂર થયેલા કાર્યક્રમો, જેમાં સાઉન્ડ સિસ્ટમ અને પ્રસાદી જેવી વ્યવસ્થાઓ પણ બુક થયેલી છે, તે રદ થવાથી આયોજકો પર મોટો આર્થિક બોજો પડી શકે છે. વોર્ડ નંબર 14ના કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે કે PMનો કાર્યક્રમ બપોર સુધીમાં પૂર્ણ થઈ જતો હોવાથી, સાંજે ધાર્મિક કાર્યક્રમો યોજવાની મંજૂરી આપવામાં આવે.