IRCTC દ્વારા રેલવેમાં ખરાબ ભોજન આપનારા કોન્ટ્રાક્ટરો પર રૂ.5.13 કરોડનો દંડ
IRCTC દ્વારા રેલવેમાં ખરાબ ભોજન આપનારા કોન્ટ્રાક્ટરો પર રૂ.5.13 કરોડનો દંડ
Published on: 07th August, 2026

ભારતીય રેલવેમાં છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતાના ઉલ્લંઘનની મળેલી ફરિયાદોના આધારે IRCTC દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. સમગ્ર મામલે રેલવેએ કુલ રૂ.5.13 કરોડનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, 54 કોન્ટ્રાક્ટરોને શો-કોઝ નોટિસ આપવામાં આવી છે અને 06 કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યા છે. લાયસન્સધારકોને પ્રતિબંધિત કરવાની યાદી IRCTCની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરાઈ છે. ગુણવત્તા, સ્વચ્છતા અને નિયામક પાલન સુનિશ્ચિત કરવા નિયમિત નિરીક્ષણો અને ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા તપાસ કરવામાં આવે છે.