ભારતે માલદીવની ₹430 કરોડની વ્યાજ ચૂકવણી કરી!
ભારતે માલદીવની ₹430 કરોડની વ્યાજ ચૂકવણી કરી!
Published on: 18th September, 2026

માલદીવે ભારત પાસેથી લીધેલી ₹1,100 કરોડની લોનની ચૂકવણી પૂર્ણ કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, માલદીવે 150 મિલિયન ડૉલરના ટ્રેઝરી બિલની સંપૂર્ણ ચુકવણી કરી દીધી છે, જે SBI દ્વારા 2019માં આપવામાં આવી હતી. છેલ્લા 5 વર્ષમાં, ₹430 કરોડ (45 મિલિયન ડૉલર)ના વ્યાજની ચૂકવણી ભારતે કરી છે, જે 'નેબરહુડ ફર્સ્ટ' પોલિસીનો ભાગ છે. આ ઉપરાંત, ભારતે 30 બિલિયન રૂપિયાની કરન્સી સ્વેપ અને ₹3,360 કરોડના ટ્રેઝરી બોન્ડ્સ દ્વારા પણ માલદીવને નાણાકીય સહાય પૂરી પાડી છે.