ગૃહ મંત્રાલય દ્વારા જૈશ, લશ્કર અને અલ કાયદા સંબંધિત ૨૩ પાકિસ્તાની આતંકી જાહેર.
ગૃહ મંત્રાલય દ્વારા જૈશ, લશ્કર અને અલ કાયદા સંબંધિત ૨૩ પાકિસ્તાની આતંકી જાહેર.
Published on: 04th July, 2026

ભારત સરકારના ગૃહ મંત્રાલયે પાકિસ્તાન સ્થિત ૨૩ વ્યક્તિઓને ગેરકાનૂની પ્રવૃત્તિઓ પ્રતિબંધક અધિનિયમ (UAPA) હેઠળ સત્તાવાર રીતે 'આતંકવાદી' જાહેર કર્યા છે. આ તમામ વ્યક્તિઓ જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને અલ કાયદા જેવા સંગઠનો સાથે જોડાયેલા છે. તેઓ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓની ભરતી, ઘૂસણખોરી, હથિયારોની હેરાફેરી અને ડ્રોન દ્વારા હથિયારો મોકલવાના કાવતરામાં સામેલ છે. આ યાદીમાં હાફિઝ સઈદના ત્રણ નજીકના સાથીઓનો પણ સમાવેશ થાય છે. આ પગલાંથી NIA ને આતંકવાદીઓની સંપત્તિ જપ્ત કરવા અને ફંડિંગ રોકવા માટે વધુ સશક્ત બનાવશે.