હિમાચલ પ્રદેશમાં મેઘતાંડવ: 157ના મોત, 257 ગુમ, 259 રસ્તા બંધ
હિમાચલ પ્રદેશમાં મેઘતાંડવ: 157ના મોત, 257 ગુમ, 259 રસ્તા બંધ
Published on: 11th August, 2026

હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ વિનાશ વેર્યો છે, જેના કારણે 157 લોકોના મોત થયા છે અને 257 લોકો ગુમ છે. રાજ્યમાં 259 રસ્તાઓ બંધ હોવાથી વાહનવ્યવહાર ઠપ થયો છે. ભારે વરસાદ, વાદળ ફાટવા, પૂર અને ભૂસ્ખલનને કારણે લગભગ 900 સરકારી અને ખાનગી મિલકતોને નુકસાન થયું છે, જેનાથી આશરે રૂ. 886 કરોડનું આર્થિક નુકસાન થયું છે. કુલ્લુ અને મંડી જેવા જિલ્લાઓમાં 161 ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થતાં અનેક વિસ્તારો અંધારપટમાં સપડાયા છે. હવામાન વિભાગે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે.