આસામ, કેરલ, છત્તીસગઢમાં ભારે વરસાદ
આસામ, કેરલ, છત્તીસગઢમાં ભારે વરસાદ
Published on: 03rd August, 2026

દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. આસામમાં 85 લોકોના મોત થયા છે, જ્યારે કેરળમાં 8 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં પણ બે બાળકીઓના મોત થયા છે. લાખો લોકો બેઘર બન્યા છે અને ખેતરોમાં પાકને પણ ભારે નુકસાન થયું છે. NDRF અને SDRF ની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી છે. હવામાન વિભાગ (IMD) એ આગામી દિવસોમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને અચાનક પૂરની ચેતવણી આપી છે.