તરબૂચમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું?
તરબૂચમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું?
Published on: 24th April, 2026

બિહારમાં અમલી દારૂબંધીને કારણે દારૂના તસ્કરો દારૂની હેરાફેરી માટે અવનવા કિમીયા અજમાવી રહ્યા છે. અક્ષય અંતાણી જણાવે છે કે, હવે ઉનાળાની સીઝનમાં તરબૂચનો ઉપયોગ દારૂ છુપાવવા માટે કરવામાં આવી રહ્યો છે. તસ્કરો તરબૂચની અંદરનો ગર કાઢી નાખી, તેના પોલાણમાં દારૂના ટેટ્રાપેક સંતાડી દે છે અને ફરીથી ડગળી લગાવી તેને સીલ કરી દે છે. આમ, સામાન્ય દેખાતા તરબૂચના માધ્યમથી પોલીસની નજર ચૂકવીને ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરવાનો પર્દાફાશ થયો છે.