સુપ્રિમ કોર્ટ લગ્નજીવનના વિવાદોમાં ખોટી ફોજદારી ફરિયાદો બાબતે કડક
સુપ્રિમ કોર્ટ લગ્નજીવનના વિવાદોમાં ખોટી ફોજદારી ફરિયાદો બાબતે કડક
Published on: 31st May, 2026

સુપ્રિમ કોર્ટે લગ્નજીવનના વિવાદોમાં દુર્ભાવનાપૂર્ણ ફોજદારી કેસોની વધતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું છે કે, અંગત દ્વેષને કારણે ફોજદારી કાયદાનો દુરુપયોગ થતો રોકવાની જવાબદારી કોર્ટો અને વકીલોની છે. જસ્ટિસ નાગરત્ના અને જસ્ટિસ ભૂયીઆની બેંચે પતિ અને તેના કુટુંબીઓ વિરુદ્ધ થયેલી ૧૦થી વધુ ફોજદારી ફરિયાદો રદ કરતી વખતે આ ટિપ્પણી કરી. આમાં POCSO અને BNS હેઠળના કેસ પણ સામેલ હતા. કોર્ટે જણાવ્યું કે, લગ્નજીવનના વિવાદોમાં ખોટા આક્ષેપોને પ્રોત્સાહન ન મળવું જોઈએ.