વંદે માતરમને રાષ્ટ્રગાન જેવું કાયદાકીય રક્ષણ, અપમાન કરનારને જેલ
વંદે માતરમને રાષ્ટ્રગાન જેવું કાયદાકીય રક્ષણ, અપમાન કરનારને જેલ
Published on: 31st July, 2026

સંસદ દ્વારા 'રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ (સુધારા) બિલ, 2026' પસાર કરાયું છે. આ બિલ હેઠળ હવે 'વંદે માતરમ'ને રાષ્ટ્રગીત 'જન ગણ મન' અને રાષ્ટ્રધ્વજ જેવું કાયદાકીય રક્ષણ મળશે. અત્યાર સુધી 'વંદે માતરમ'ને આ સ્પષ્ટ કાનૂની સુરક્ષા નહોતી, જે હવે નવા સુધારા દ્વારા પૂરી પાડવામાં આવશે. આ કાયદો માત્ર અપમાન કરનારાઓ સામે કાર્યવાહી કરશે, ગાવા માટે કોઈને દબાણ નહીં કરે. સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્ણય મુજબ, ધાર્મિક માન્યતાઓના કારણે ગીત ન ગાનાર વ્યક્તિને દોષી ઠેરવી શકાય નહીં.