વનતારાની 'માધુરી' હાથણી કોલ્હાપુર પરત ફરશે
વનતારાની 'માધુરી' હાથણી કોલ્હાપુર પરત ફરશે
Published on: 11th September, 2026

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં 'મહાદેવી' તરીકે ઓળખાતી માધુરી હાથણીના કસ્ટડી વિવાદમાં હાઈ-પાવર્ડ કમિટી (HPC) એ મહત્વનો આદેશ આપ્યો છે. ગુજરાતના જામનગર સ્થિત વનતારા કેર સેન્ટર દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, HPC ના આદેશનું પાલન કરીને માધુરીને કડક શરતો સાથે કોલ્હાપુર પરત મોકલવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. વનતારાના જણાવ્યા મુજબ, તેઓએ કસ્ટડી માંગી નહોતી, માત્ર કાનૂની આદેશ બાદ તેની સારવાર કરી હતી. માધુરીની સ્થિતિ સુધરતાં, વનતારાના ડોક્ટર્સ દર 15 દિવસે તેની મેડિકલ તપાસ કરશે.