જિનપિંગના પરત ફર્યા બાદ ચીનનું મોટું નિવેદન
જિનપિંગના પરત ફર્યા બાદ ચીનનું મોટું નિવેદન
Published on: 15th September, 2026

બ્રિક્સ સમિટ દરમિયાન PM મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની બેઠક બાદ ચીનના વિદેશ મંત્રાલયે મોટું નિવેદન આપ્યું છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ જણાવ્યું કે, ચીન સાથેના સંબંધોને લઈને ભારતનો દ્રષ્ટિકોણ કોઈ ત્રીજા પક્ષના પ્રભાવથી મુક્ત છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે પોતાની જમીન પર કોઈને પણ ચીન-વિરોધી ગતિવિધિઓ કરવા દેશે નહીં. બંને નેતાઓએ વ્યૂહાત્મક, દીર્ધકાલીન અને દિશા-નિર્દેશ આપતા મુદ્દાઓ પર ખુલીને ચર્ચા કરી હતી, જેમાં એક-બીજાના સહયોગી બનવા પર સહમતિ બની. સરહદી વિસ્તારોમાં શાંતિ જાળવવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો.