બાળકોની હાજરી ધરાવતી સંસ્થાઓ અને કર્મચારીઓ માટે આચારસંહિતા નક્કી કરાશે
બાળકોની હાજરી ધરાવતી સંસ્થાઓ અને કર્મચારીઓ માટે આચારસંહિતા નક્કી કરાશે
Published on: 15th September, 2026

ગુજરાત રાજ્ય સરકારે "ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ નીતિ 2026" જાહેર કરી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને હિંસા, શોષણ, દુર્વ્યવહાર અને ભેદભાવથી મુક્ત સુરક્ષિત અને ગૌરવપૂર્ણ બાળપણ પ્રદાન કરવાનો છે. આ નીતિ બાળ સુરક્ષાને સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી તરીકે સ્થાપિત કરે છે, જેમાં સરકારી વિભાગો, NGOs, સ્થાનિક સંસ્થાઓ, ઉદ્યોગો અને નાગરિક સમાજનો સમાવેશ થાય છે. સંવેદનશીલ પરિસ્થિતિમાં રહેલા બાળકો, જેમ કે અનાથ, દિવ્યાંગ, સ્થળાંતરિત બાળકો માટે વિશેષ સુરક્ષાની જોગવાઈઓ છે. શાળા, આરોગ્ય સુવિધાઓ અને જાહેર સ્થળો સહિત તમામ સ્થળોએ બાળ-સુરક્ષિત વાતાવરણ નિર્માણ પર ભાર મૂકવામાં આવ્યો છે.