66 કિલો સોના-ચાંદીના ગણપતિ
66 કિલો સોના-ચાંદીના ગણપતિ
Published on: 13th September, 2026

મુંબઈનો ગણેશોત્સવ પોતાની ભવ્યતા અને અનોખી પરંપરાઓ માટે જાણીતો છે. કિંગ્સ સર્કલ સ્થિત GSB સેવા મંડળે 72માં ગણેશોત્સવ પહેલા ભગવાન મહાગણપતિના ભવ્ય વિરાટ દર્શનનું અનાવરણ કર્યું છે. GSB મહાગણપતિની પ્રતિમાને 66 કિલોથી વધારે શુદ્ધ સોના, 335 કિલો ચાંદી અને કિંમતી રત્નોથી શણગાર્યું છે. આ ઉત્સવ માટે 703.27 કરોડ રુપિયાનો રેકોર્ડ વીમા કવર લેવામાં આવ્યો છે, જે છેલ્લા વર્ષો કરતા ઘણો વધારે છે. મંડળ ભક્તોની સુરક્ષા અને પર્યાવરણ સંરક્ષણ પર પણ ભાર મૂકી રહ્યું છે.