જન્મ પ્રોત્સાહન યોજના: 2 કે તેથી વધુ બાળક પર ₹25000! રાજ્ય સરકારનો વિચાર.
જન્મ પ્રોત્સાહન યોજના: 2 કે તેથી વધુ બાળક પર ₹25000! રાજ્ય સરકારનો વિચાર.
Published on: 06th March, 2026

આંધ્રપ્રદેશ સરકાર ઘટતા જન્મદરને સુધારવા માટે બીજા બાળકના જન્મ પર ₹25,000 નું જન્મ પ્રોત્સાહન આપવાનું વિચારી રહી છે. CM નાયડુનું લક્ષ્ય આંધ્રપ્રદેશનો કુલ પ્રજનન દર (TFR) 1.5 થી વધારીને 2.1 કરવાનો છે. આ નીતિ માર્ચ સુધીમાં રજૂ થશે અને એપ્રિલથી અમલમાં આવશે. સરકાર વસ્તી વધારવા માટે આર્થિક પ્રોત્સાહનો આપવા વિચારે છે.