બિહારની રાજનીતિમાં ફરી ભૂકંપ: શું નીતીશ કુમાર બિહાર ના મુખ્ય મંત્રી પદ પરથી રાજીનામુ આપશે?
બિહારની રાજનીતિમાં ફરી ભૂકંપ: શું નીતીશ કુમાર બિહાર ના મુખ્ય મંત્રી પદ પરથી રાજીનામુ આપશે?
Published on: 04th March, 2026

બિહારના રાજકારણને લગતા એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને તેમની પાર્ટી જનતા દળ યુનાઈટેડ (JDU) રાજ્યસભાની ચૂંટણી લડાવી શકે છે. જોકે આ વાત સાચી ઠરે તો નીતિશ કુમાર બિહારના CM પદેથી હટી શકે છે. એવી પણ ચર્ચા છે કે જો નીતિશ કુમાર રાજ્યસભાની ચૂંટણી લડશે તો પછી CM પદે બિહારના કોઈ નેતાની પસંદગી કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે નીતિશ કુમાર સતત 9 વખત બિહારના મુખ્યમંત્રી પદે રહી ચૂક્યા છે. તેઓ બિહારના ઈતિહાસમાં સૌથી વધુ વખત મુખ્યમંત્રી પદના શપથ લેનારા નેતા છે.