તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને આગેવાનો જોડાયા
તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને આગેવાનો જોડાયા
Published on: 20th August, 2026

ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે વહીવટી તંત્ર અને ભાજપ દ્વારા "એક દેશ, એક ધ્વજ, એક ગૌરવ" ના સૂત્ર સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું. આ યાત્રા શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિરથી નીકળી ગામના મુખ્ય માર્ગો પર ફરી, જેમાં અધિકારીઓ, કર્મચારીઓ, ભાજપના આગેવાનો, શાળાઓના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા. દેશભક્તિના નારા, રાષ્ટ્રીય એકતાનો સંદેશ અને "ભારત માતા કી જય" ના ગગનભેદી જયઘોષથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિમય બન્યું.