મોરબીમાં 60 હેક્ટરમાં 1.50 લાખ વૃક્ષો વાવી હરિયાળી અભિયાનનો પ્રારંભ
મોરબીમાં 60 હેક્ટરમાં 1.50 લાખ વૃક્ષો વાવી હરિયાળી અભિયાનનો પ્રારંભ
Published on: 20th August, 2026

મોરબી જિલ્લામાં હરિયાળી વધારવા વન વિભાગ દ્વારા 60 હેક્ટર પડતર જમીનમાં અંદાજે 1.50 લાખ વૃક્ષોના વાવેતરનું આયોજન કરવામાં આવ્યું છે. ટંકારા ખાતે રાજ્યકક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયાની અધ્યક્ષતામાં 77મા વન મહોત્સવની ઉજવણી કરાઈ, જ્યાં પર્યાવરણ જાળવણી અને લોકભાગીદારી વધારવા અપીલ કરાઈ. મિયાવાકી પદ્ધતિથી ઘન જંગલ અને 'અર્બન વનકવચ' દ્વારા શહેરોમાં હરિયાળી વધારવાનું આયોજન છે. જિલ્લાની નર્સરીઓમાં 9.54 લાખ રોપાઓનો ઉછેર કરાયો છે.