આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ન હોવાથી અટકી શકે છે મહત્વપૂર્ણ કામો
આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ન હોવાથી અટકી શકે છે મહત્વપૂર્ણ કામો
Published on: 27th August, 2026

આધાર કાર્ડ એક જરૂરી દસ્તાવેજ છે, જેમાં યોગ્ય મોબાઇલ નંબર નોંધાવવો અનિવાર્ય છે. જો તમારો મોબાઇલ નંબર આધાર સાથે લિંક ન હોય, તો ઓનલાઇન સેવાઓ, જેમ કે myAadhaar પોર્ટલ પર સરનામું અપડેટ કરવા જેવી સુવિધાઓ માટે OTP આધારિત ઓથેન્ટિફિકેશન શક્ય બનશે નહીં. આનાથી ઘણી આધાર-સંબંધિત પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. જોકે, આનાથી આધાર કાર્ડ નકામું નહીં થાય, પરંતુ OTP આધારિત વેરિફિકેશનની જરૂર હોય તેવી સેવાઓમાં અવરોધ આવી શકે છે.