અમદાવાદમાં સીલ થયેલી 60 દુકાનો ખુલશે, પણ ફટાકડા વેચી નહીં શકે: વેપારીઓએ બોન્ડ લખાવવા પડશે
અમદાવાદમાં સીલ થયેલી 60 દુકાનો ખુલશે, પણ ફટાકડા વેચી નહીં શકે: વેપારીઓએ બોન્ડ લખાવવા પડશે
Published on: 07th August, 2026

અમદાવાદ નજીક ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 10 લોકોના મોત બાદ શહેરની 60 ફટાકડાની દુકાનો અને ગોડાઉનને સીલ કરવામાં આવ્યા હતા. ઘટનાના માત્ર 20 દિવસમાં જ રોજગારીને ધ્યાનમાં રાખીને આ દુકાનો ખોલવાનો નિર્ણય લેવાયો છે. જોકે, વેપારીઓ આ દુકાનોમાં ફટાકડાનું વેચાણ કરી શકશે નહીં. તેઓ અન્ય સિઝનલ વેપાર કરી શકે છે. દુકાનો ખોલવા માટે વેપારીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનને બોન્ડ લખી આપવું પડશે. ભવિષ્યમાં ફટાકડાના વેચાણ માટે નિયમાનુસાર બીયુ પરમિશન, ફાયર એનઓસી અને પોલીસની મંજૂરી લેવી પડશે.