સુરેન્દ્રનગરની આણંદપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નાયબ કલેકટરની મુલાકાતમાં લાલિયાવાડી સામે આવી
સુરેન્દ્રનગરની આણંદપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નાયબ કલેકટરની મુલાકાતમાં લાલિયાવાડી સામે આવી
Published on: 23rd July, 2026

ચોટીલાના આણંદપુર (ભા) ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નાયબ કલેકટર એચ.ટી.મકવાણાએ અચાનક મુલાકાત લીધી. આ દરમિયાન, જુનીયર ફાર્માસિસ્ટ એમ.બી.ઝાલા પૂર્વ મંજૂરી વિના ગેરહાજર જણાયા. દર્દીઓના કેસ પેપર નિયમિત તૈયાર થતા ન હતા, અને ચોમાસામાં જરૂરી સાપ કરડવાની દવા ઉપલબ્ધ ન હતી. હોસ્પિટલમાં સ્વચ્છતાનો અભાવ, દવાઓનું અયોગ્ય વર્ગીકરણ, અને ડ્રગ સ્ટોર રૂમમાં રજીસ્ટર જાળવવામાં આવતું ન હતું. આશા કાર્યકરોને અપાતી દવાઓની નોંધણી ન હોવાથી અને ડીપ ફ્રીઝર લોગબુકમાં લાંબા સમયથી નોંધ ન હોવાથી જવાબદાર અધિકારીઓ પાસેથી ખુલાસા માંગવામાં આવ્યા છે.