સુરેન્દ્રનગરના ચૂડાના જોબાળા ગામે સર્પે દંશ દેતાં બાળકીનું મોત
સુરેન્દ્રનગરના ચૂડાના જોબાળા ગામે સર્પે દંશ દેતાં બાળકીનું મોત
Published on: 05th August, 2026

ચૂડા તાલુકામાં ભારે વરસાદ બાદ ઝેરી જીવજંતુઓ કરડવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે ચુડા તાલુકાના જોબાળા ગામે રહેતા રણજીતભાઈ દાહોડીયાની 12 વર્ષની દિકરી બંસીને સાપ કરડયો હતો. જેમાં તેને સારવાર માટે દવાખાને લઈ જવાતા તબીબોએ મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થતા ચૂડા પોલીસે દોડી જઈ બાળકીની લાશને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.