પાટણમાં આનંદ સરોવરની વરસાદી કેનાલમાં ગંદું પાણી છોડાતાં રોષ
પાટણમાં આનંદ સરોવરની વરસાદી કેનાલમાં ગંદું પાણી છોડાતાં રોષ
Published on: 24th April, 2026

પાટણના વોર્ડ નં. ૫, ૬, ૭ અને ૧૧માંથી પસાર થતી વરસાદી કેનાલમાં ગટરના દૂષિત પાણી છોડવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાલિકાની બેદરકારી સામે રહીશોએ સહી ઝુંબેશ ચલાવી ઉગ્ર વિરોધ પ્રગટ કર્યો છે. ગંદા પાણીને કારણે ફેલાતી અસહ્ય દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. વારંવારની રજૂઆતો છતાં સત્તાધીશો દ્વારા કોઈ નક્કર ઉકેલ ન આવતા લોકોએ આરોગ્યના જોખમે આંદોલનનું રણશિંગું ફૂંક્યું છે.