કુતિયાણા કોલેજમાં નશામુક્ત ભારત અભિયાન
કુતિયાણા કોલેજમાં નશામુક્ત ભારત અભિયાન
Published on: 16th September, 2026

નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત કુતિયાણાની એસ.એમ. જાડેજા કોલેજ ખાતે 14 સપ્ટેમ્બર 2026ના રોજ નશાબંધી અને વ્યસનમુક્તિ અંગે એક પ્રેરણાદાયક જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટે વકૃત્વ અને ચિત્ર સ્પર્ધા યોજાઈ, જ્યાં તેઓએ ‘નશાબંધી’ અને ‘વ્યસનમુક્તિ’ વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા. અધિકારીઓએ વ્યસનના દુષ્પરિણામો સમજાવ્યા અને વિદ્યાર્થીઓને વ્યસનથી દૂર રહેવાની તથા સમાજને પ્રેરણા આપવાની પ્રતિજ્ઞા લેવડાવી. સ્પર્ધાના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઇનામ આપી સન્માનિત કરાયા.