અમદાવાદમાં દિવાળી પહેલા ભેળસેળ રોકવા વેપારીઓનો મહાસેમિનાર
અમદાવાદમાં દિવાળી પહેલા ભેળસેળ રોકવા વેપારીઓનો મહાસેમિનાર
Published on: 16th September, 2026

દિવાળીના તહેવાર દરમિયાન ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના વેચાણને રોકવા માટે અમદાવાદના ફૂડ બિઝનેસ ઓપરેટરોમાં જાગૃતિ લાવવા એક મહાસેમિનારનું આયોજન કરાયું છે. આ સેમિનાર 19 સપ્ટેમ્બરે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે યોજાશે, જેમાં 2000થી વધુ વેપારીઓ, બ્રાન્ડેડ કંપનીઓના સંચાલકો જોડાશે. આહાર મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શુદ્ધ ખાદ્ય સામગ્રી મળે તે માટે ઝુંબેશ ચલાવાશે. ઉપરાંત, નાના વેપારીઓને બ્રાન્ડ નિર્માણ, નવી ટેકનોલોજી, સરકારી કાયદાઓની સમજ અને કારીગર ટ્રેનિંગ આપવામાં આવશે. મિલેટ વાનગીઓને પ્રોત્સાહન અને મોદીજીના સંદેશ સાથેના સ્ટીકર અભિયાનની પણ શરૂઆત થશે.