
દર્દીને નવજીવન: હૃદય બંધ પડી ગયેલા યુવકને તબીબ સહિત 12ની ટીમે બે કલાક CPR આપીને નવજીવન આપ્યું
મોતને જીવનમાં ફેરવનાર સર્જરી કરનાર કાર્ડિયોલોજિસ્ટ ડૉ. નિકુંજ પટેલ અને આઈસીયુના ઇન્ચાર્જ ડૉ. મેહુલ શ્રીમાળીના શબ્દોમાં કિસ્સોની વિગત અહીં રજૂ કરી છે. 25 વર્ષીય નિશાંતને 3 જૂને સવારે છાતીમાં દુ:ખાવો થતાં તેના પિતા બાઈક પર બેસાડીને લાયન્સ હોસ્પિટલ ઇમરજન્સી વિભાગમાં લાવ્યા. ઇસીજી લીધા બાદ તરત જ તેને કાર્ડિયાક એરેસ્ટ થતાં હૃદય બંધ પડી જતાં ત્યાં જ ઢળી પડ્યો. તરત જ અમે હૃદયને ચાલુ કરવા કાર્ડિયાક મસાજ (સીપીઆર), ડીસી શૉક અને હૃદયમાં ડાયરેક્ટ ઇન્જેક્શન આપવા સાથે તેને વેન્ટિલેટર પર લીધો. પરંતુ, તેના મગજમાં લોહી નહીં પહોંચતાં બેભાન અને હૃદય પણ બંધ પડતું હતું. આવું વારંવાર થતાં અમે થોડાક નિરાશ થયા, પણ તેના પિતાની આંખો જોતાં અમે ફરી પ્રયાસો શરૂ કર્યા. બે કલાકની મહેનત બાદ તેનું હૃદય ચાલુ થયું. તરત જ તેને એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટિ માટે કેથલેબમાં લઇ જતી વખતે ફરી હૃદય બંધ પડી ગયું. પણ દર્દીનો જીવ બચાવો જ છે ના નિર્ધાર સાથે હિંમત હાર્યા વિના ઓપરેશન શરૂ કર્યું. જે પાંચ કલાક ચાલ્યું. સફળઓ પરેશન બાદ તેને બચાવી લેવામાં આવ્યો હતો. આવા કિસ્સાઓમાં દર્દીનું મોત થતું હોય છે.
દર્દીને નવજીવન: હૃદય બંધ પડી ગયેલા યુવકને તબીબ સહિત 12ની ટીમે બે કલાક CPR આપીને નવજીવન આપ્યું
